Sorry, your browser does not support JavaScript!

Online application for seeds (બિયારણ મેળવવા માટેની ઓનલાઈન અરજી)

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ

ખરીફ-૨૦૨૩ માટે યુનિવર્સિટી ઉત્પાદીત મગફળીના સર્ટીફાઇડ/ ટ્રુથફૂલ અને સોયાબીનના ટ્રુથફુલ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી

ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી શરતો : ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૪-૦૪-૨૦૨૩ હતી, જે પૂર્ણ થયેલ છે.
  • 1) ખાતેદાર ખેડૂતોના "૮-(અ)" માં નોંધાયેલ નામો પૈકી કોઈ ૫ણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધારકાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ ૫ડશે તો વધારાની બધી જ અરજીઓ રદ્દ કરવામાં આવશે.
  • 2) મગફળીનું બિયારણ ડોડવાના સ્વરૂપે જ મળશે.
  • 3) મગફળી અને સોયાબીનના બિયારણની નોંધણી માટેની અરજી ફકત ઓનલાઈન જ સ્‍વીકારવામાં આવશે.
  • 4) આગામી ખરીફ-૨૦૨૩ ઋતુમાં ખેડૂતમિત્રોને વાવેતર માટે મગફળીમાં GJG-22 અને GJG-૩2 નું સર્ટીફાઇડ/ ટ્રુથફૂલ અને સોયાબીનમાં GJS-૩ જાતનું ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોઈ ખેડૂતમિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાકની એક જાતના બિયારણ માટે અરજી કરી શકશે. જે જાત માટે અરજી કરી હશે તેજ જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તેજ જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (3૦૦ કિ.ગ્રા. ડોડવા), અને સોયાબીનમાં ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) સુધી મળવાપાત્ર થશે. (બે હેક્ટરની મર્યાદા એટલે કે મગફળીમાં ૨૦ ગુંઠા જમીને એક બેગ અને તે મુજબ ૨૦ ગુંઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થાય. જયારે સોયાબીનમાં ૪૦ ગુંઠા જમીને એક બેગ અને તે મુજબ ૪૦ ગુંઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થાય).
  • 5) ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ (મેગાસીડ) ના સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નં.-૩) ખાતે લેવા આવવું પડશે.
  • 6) ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્‍ટ કાઢીને તેમાં અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ) નો તાજો અસલ દાખલો (છ મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં), બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ (અરજદારનો ખાતા નંબર અને બેંકનો IFSC નંબર વંચાય તેવો હોવો જોઈએ.) અરજીની ૫હોંચ સાથે રજુ કરવાના રહેશે. ઉ૫રોકત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. જો ફેરફાર હશે તો અરજી માન્‍ય ગણવામાં આવશે નહીં.
  • 7) બિયારણ ખરીદી માટે ખેડૂતમિત્રોને ફાળવવામાં આવેલ તારીખો એ જ બિયારણ મળશે. એટલે કે ખેડૂતમિત્રોને જે તારીખો બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવે તે તારીખો એ જ લઈ જવાનું રહેશે. અન્‍યથા તે તારીખ બાદ ખેડૂતમિત્રની અરજી અમાન્‍ય ગણવામાં આવશે અને તે ખેડૂતને ત્‍યારબાદ બિયારણ ખરીદીનો લાભ આ૫વામાં આવશે નહીં.
  • 8) બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી રેન્ડમાઈઝેશન (ડ્રો) કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઈ પણ દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
  • 9) અરજીમાં મગફળી અને સોયાબીનની જાતની નોંધણી એક વાર થઇ ગયા પછી તેમાં સુધારો થઇ શકશે નહિ. જયારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તે અરજી કરવાના સમયગાળા દરમ્યાન સુધારી શકશે.
  • 10) જે ખેડૂતમિત્રોએ ખરીફ-૨૦૨૩ ઋતુમાં વાવેતર માટે ઓનલાઈન અરજી કરી હોય તેઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર બિયારણ વિતરણ અને પાકના ભાવ સબંધિત માહિતી માટે જોતા રહેવું.
  • 11) હાલમાં દેશમાં ફેલાયેલ COVID-19 ની મહામારીના કારણે જે ખેડૂતમિત્રોની અરજી મંજુર થાય અને તેઓ બિયારણ લેવા માટે આવે ત્યારે જેતે સમયે ગુજરાત સરકારશ્રીની સોસ્યલ ડીસ્ટન્સ, માસ્ક પહેરવું, સેનીટાઈઝેશન તેમજ COVID-19 સંદર્ભેની તમામ માર્ગદર્શક સૂચનાઓ અમલમાં હશે તેનું ચુસ્તપણે પાલન કરવાનુઁ રહેશે.

ઓનલાઈન કરેલી અરજીની ફરીથી પ્રિન્ટ માટે અહિયાં દબાવો

પ્રથમ વખત અરજી કરવા નીચે મુજબની માહિતી ભરવી તે પૈકી લાલ (*) નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.

ખેડૂત ની વ્યક્તિગત માહિતી : દરેક માહિતી કાળજીપૂર્વક અનેચોક્સાઇ પણે ભરવી.
બિયારણની માહિતી / બેંક ની માહિતી
પોતે ખેડૂત હોવાનો પુરાવા : (૮અ પ્રમાણે જે ગામમાં જમીન હોય તે ગામ અને ખાતા નંબર)
સોગધ નામું:

બિયારણ મેળવવાની નોધણી માટેની ઓનલાઈન અરજી તા.૧૫-૦૪-૨૦૨૩ ના સવારે ૯:૦૦ કલાક થી તા.૨૪-૦૪-૨૦૨૩ રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.

બિયારણ માટેની માહિતીમાટે આ નંબર પર ફોન કરવો. (કામકાજ ના સમય દરમ્યાન) મેગાસીડ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ : (0285)2677450 / 2675070 .
ફોર્મ ભરતી વખતે તકનીકી મુશ્કેલી આવે તો આ નંબર પર ફોન કરવો. (કામકાજ ના સમય દરમ્યાન) આઇટી સેલ , જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ: (0285)2672080

Copyright (c) 2020, Junagadh Agricultural University.Developed and Powered by Information Technology Cell, JAU.